Site icon Revoi.in

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કોહલીને નુકસાન

Social Share

નવી દિલ્હીઃ ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોચના 10માં સ્થાન મળ્યું છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં આના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે. વિરાટ એક સ્થાન નીચે સરકીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ રોહિત પણ એક સ્થાનના નુકસાન સાથે નવમા સ્થાને આવી ગયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આઈસીસીની રેન્કીંગમાં બેટ્સમેનોમાં સૌથી મોટી છલાંગ ન્યૂઝીલેન્ડના ટોમ લાથમે લગાવી છે. તેણે ભારત સામેની શ્રેણીની પ્રથમ વનડેમાં 104 બોલમાં અણનમ 145 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે તે 10 સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોની રેન્કિંગમાં 18માં સ્થાને આવી ગયો છે. કેન વિલિયમસને આ જ મેચમાં 98 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા અને તે એક સ્થાન આગળ વધીને 10માં સ્થાને પહોંચી ગયો છે.

ભારત માટે અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યર છ સ્થાન આગળ વધીને 27મા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત શુભમન ગિલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 34માં સ્થાને આવી ગયો છે. લોકી ફર્ગ્યુસને પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 59 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે 32મા સ્થાને પહોંચી ગયો છે. મેટ હેનરી પણ ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

શ્રીલંકા સામેની મેચમાં અફઘાનિસ્તાન તરફથી સદી ફટકારનાર ઈબ્રાહિમ ઝદરાનને 73 સ્થાનનો ફાયદો થયો છે. તે 122મા સ્થાને આવી ગયો છે. આ સાથે જ તેનો સાથી ઓપનર રહેમાનુલ્લા ગુરબાજ 21 સ્થાન આગળ વધીને 48માં સ્થાને પહોંચી ગયો છે. રહમત શાહે અડધી સદીના આધારે 22મા સ્થાને સ્થાન મેળવ્યું છે. તે અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ ક્રમાંકિત બેટ્સમેન છે.