Site icon Revoi.in

મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું વધારાનું ફંડ જાહેર કર્યું

Social Share

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ, નાણા મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડનું વધારાનું ભંડોળ જાહેર કર્યું છે. આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીમાં ઘટાડો થયો છે.એક અહેવાલ મુજબ, આ બાબતે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, NREGAમાં ભંડોળના ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, જરૂરિયાતને પહોંચી વળવા માટે વધારાનું ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. આ પછી કેન્દ્ર સરકાર સંસદના આગામી સત્રમાં સરકાર પાસેથી ફંડ લેશે.

આ નાણાકીય વર્ષમાં નબળા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સંકટ જોવા મળી રહ્યું છે. દરમીયાન આ વર્ષે સરકારે મનરેગા હેઠળ 60,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું, જેનો શિયાળુ સત્ર પહેલા જ 95 ટકા સુધી ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, મનરેગાની વધતી માંગને ધ્યાનમાં રાખીને, સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું વધારાનું બજેટ બહાર પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં નબળા ચોમાસા અને ધીમે ધીમે ઔદ્યોગિક સુધારાને કારણે સામાન્ય રીતે શહેરો તરફ કામદારોનું ઓછું સ્થળાંતર જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ કામની માંગ વધી છે. આવી સ્થિતિમાં, નિર્ધારિત બજેટનો 95 ટકા સંસદના શિયાળુ સત્ર પહેલા જ ખર્ચાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, ભંડોળની અછતને ધ્યાનમાં રાખીને, ગ્રામીણ વિકાસ મંત્રાલયે ફિક્સ ફંડમાં 28,000 કરોડ રૂપિયાના વધારાના બજેટની જોગવાઈ કરવાની વાત કરી છે. હવે સરકારે આમાંથી 10,000 કરોડ રૂપિયાનું ફંડ પણ બહાર પાડ્યું છે.

નાણાકીય વર્ષ 2024માં કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ ફાળવવામાં આવેલા બજેટમાં મોટો કાપ મૂક્યો હતો અને તેને 88,000 કરોડ રૂપિયાથી ઘટાડીને 60,000 કરોડ રૂપિયા કરી દીધો હતો, જો કે એવી જાહેરાત પણ કરી હતી કે જો જરૂર પડશે તો સરકારવધુ ભંડોળ માટેની જોગવાઈ કરાશે.