Site icon Revoi.in

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી

Social Share

દિલ્હી:ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે.કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ.વીકે પૉલે કહ્યું છે કે,ગભરાવાની કોઈ વાત નથી.ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો.આ ઉપરાંત, જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

ડૉ. વીકે પૉલે કહ્યું છે કે,જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે,અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે તેને વધારવો પડશે.અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ ડોઝ લાગુ કરવા માટે અપીલ કરીએ છીએ.બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.

બેઠકના મહત્વના મુદ્દા-

સરકારે જણાવ્યું કે,સપ્ટેમ્બરમાં જીનોમ સર્વેલન્સમાં BF.7 વેરિયન્ટ ભારતમાં ત્રણ વખત મળી આવ્યો હતો, જેનો અર્થ છે કે અમે તેની ઓળખ કરી લીધી છે, જેના કારણે ચીનમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.સરકારે કહ્યું કે હવે રાજ્યોએ માસ્ક લાવવાની સૂચનાઓ લાવીને તેનું પાલન કરવું પડશે.