Site icon Revoi.in

એક પણ વેક્સિનનું નુક્સાન એટલે એક જીવનને સુરક્ષા ન આપી શકવી – પીએમ મોદી

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને લઈને અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી. આ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાવાયરસ મહામારી એ છેલ્લા 100ની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાવાયરસે તમામ લોકોના જીવનમાં પડકાર અને ચેલેંજ વધારી દીધી છે.

કોરોનાવાયરસ સામે હાલ દેશ જે રીત લડી રહ્યો છે તેના વિશે વડાપ્રધાને કહ્યું કે મહામારી વિરુદ્ધ ડીલ કરવામાં આપણા વિચાર અને પરિક્ષણો ખુબ જરૂરી છે. આ વાયરસ મ્યુટેશનમાં સ્વરુપ બદલવામાં ચાલાક છે, તો આપણા વિચારો અને રણનીતિ પણ મોટી હોવી જોઈએ.

વડાપ્રધાને દેશમાં હાલ ઓછા થઈ રહેલા કેસ પર પણ ધ્યાન આપ્યું અને કહ્યું કે તમામ લોકો જાણે છે કે કોરોનાનું ઓછુ સંક્રમણ પણ ચીંતાનો વિષય છે અને પડકાર બની રહે છે. જિલ્લાધિકારીને કહ્યું કે જિલ્લામાં તેઓ મોટા યોદ્ધા છે અને આપણે ગામે ગામ સંદેશ પહોંચાડવાનો છે કે આપણે ગામડાઓને કોરોનામુક્ત રાખવાના છે. આપણે લાંબા સમયથી જાગરુતા દાખવવાની છે.

તેમણે અધિકારીઓને કહ્યું કે ‘ક્ષેત્રે તમારા કામથી, તમારા અનુભવો અને પ્રતિસાદ ફક્ત વ્યવહારિક અને અસરકારક નીતિ બનાવવામાં મદદ કરે છે. દરેક સ્તરે રાજ્યો અને વિવિધ હોદ્દેદારો તરફથી મળેલા સૂચનોનો સમાવેશ કરીને રસીકરણની વ્યૂહરચના પણ આગળ ધપાવી છે.

પીએમએ રસીના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ‘એક પણ રસી વેસ્ટજ રાખવાનો અર્થ જીવનને જરૂરી રક્ષણાત્મક કવચ પૂરું પાડવા માટે સક્ષમ ન હોવું જોઈએ, તેથી રસીના કચરાને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

યુવાનો અને બાળકો પર વાયરસના ભય વિશે તેમણે જણાવ્યું હતું કે વાયરસના પરિવર્તનને કારણે યુવાનો અને બાળકો માટે ચિંતા વધી રહી છે. હું તમને વિનંતી કરું છું કે તમારા જિલ્લાઓમાં યુવાનો અને બાળકોમાં ચેપથી સંબંધિત ડેટા એકત્રિત કરો અને તેની સમીક્ષા સતત રાખો. આ પહેલા વડાપ્રધાન મોદીએ કેટલાક જિલ્લાધિકારી સાથે મંગળવારે વાત કરી હતી.