Site icon Revoi.in

વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;

“હું દીક્ષાંત સમારોહને સંબોધવા માટે આ મહિનાની 28મી તારીખે @IITKanpur ખાતે આવવા માટે આતુર છું. આ એક વાઇબ્રન્ટ સંસ્થા છે, જેણે વિજ્ઞાન અને નવીનતા તરફ અગ્રેસર યોગદાન આપ્યું છે.

હું દરેકને સૂચનો શેર કરવા આમંત્રિત કરું છું.”