Site icon Revoi.in

તમારી રસોઈમાં જ છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય, આ 5 વસ્તુઓના પાણીથી ચહેરો ચમકી ઉઠશે

Social Share

આજકાલ કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચવા છતાં ત્વચા પર જોઈતી કુદરતી ચમક નથી મળતી. ત્યારે નિષ્ણાતોના મતે આપણા ઘરમાં રહેલી કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ જ ત્વચાને કુદરતી રીતે ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ આર્ટિકલમાં આપણે એવા 5 સુપરફૂડ્સ વિશે જાણીશું જેનું પાણી પીવાથી અને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચાની કાયાપલટ થઈ શકે છે.

ચોખા માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ ત્વચાને પોષણ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. ચોખામાં પુષ્કળ મિનરલ્સ હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે. ચોખાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણીને ચહેરા પર સ્પ્રે તરીકે વાપરો. આ સિવાય ચોખાના લોટમાં તેનું જ પાણી ભેળવી ફેસપેક પણ બનાવી શકાય છે. તેનાથી ત્વચા પરના ડાઘ દૂર થશે અને ત્વચા ફ્રેશ લાગશે.

નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઉર્જા મળે છે, પરંતુ તે ત્વચાને અંદરથી સાફ પણ કરે છે. કોટન બોલની મદદથી ચહેરા પર નાળિયેર પાણી લગાવવાથી સનબર્ન અને ખીલની સમસ્યામાં રાહત મળે છે. જો તમે ગુલાબજળ સાથે નાળિયેર પાણી મિક્સ કરીને વાપરો છો, તો તે એક શ્રેષ્ઠ ‘ટોનર’ તરીકે કામ કરે છે.

ગ્રીન ટી વજન ઘટાડવા ઉપરાંત ત્વચા માટે પણ અત્યંત ગુણકારી છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ વધતી ઉંમરના લક્ષણોને રોકે છે. ગ્રીન ટીના પાણીને ઠંડું કરીને ચહેરા પર સ્પ્રે કરો. તે ત્વચાના છિદ્રો ને ટાઈટ કરે છે અને ચહેરા પરનો વધારાનો ઓઈલ પણ કંટ્રોલ કરે છે.

લીમડો એન્ટીઓક્સીડેન્ટ અને આયર્નથી ભરપૂર હોય છે. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેની સીધી અસર ત્વચા પર દેખાય છે. ખાલી પેટે લીમડાના પાન ચાવવા અથવા તેનું પાણી પીવાથી ખીલની સમસ્યામાં કાયમી છુટકારો મળે છે. લીમડાના પાનનું પાણી ચહેરા પર લગાવવાથી કુદરતી નિખાર આવે છે.

તુલસી માત્ર પૂજા માટે જ નહીં, પણ ત્વચાને ડિટોક્સ કરવા માટે પણ ઉત્તમ છે. તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ પાણીને ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા થાય છે અને સ્કિન ઈન્ફેક્શન સામે રક્ષણ મળે છે.

લીંબુ પાણી પીવાથી ચોક્કસ ફાયદો થાય છે, પરંતુ જો તમારી ત્વચા સેન્સિટિવ હોય તો લીંબુનો રસ સીધો ચહેરા પર લગાવવાને બદલે હંમેશા પાણીમાં મિક્સ કરીને જ વાપરવો જોઈએ.

Exit mobile version