Site icon Revoi.in

તાલીબાને ફરી એકવાર ભારતની આર્થવ્યવસ્થાની પ્રશંસા કરી

Social Share

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયું છે. જેના કારણે દેશમાં અનેક આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. 14 ઓગસ્ટે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે TTPએ જે કહ્યું તે પછી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ હશે. ટીટીપીએ પાકિસ્તાનની સામે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો જ નહીં પરંતુ તેને ચેતવણી પણ આપી. TTPએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર વાસ્તવિક આઝાદીની અપીલ કરી છે. આ સાથે તેણે ફરી એકવાર પાકિસ્તાનમાં શરિયા કાયદાના અમલની વાત કરી છે.

TTP એ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર પોતાની હાલત પર ખેદ વ્યક્ત કર્યો છે. TTPએ તેમને અભિનંદન સાથે અરીસો બતાવ્યો. તેણે ભારતની વધતી અર્થવ્યવસ્થાનો દાખલો આપીને પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું છે. TTPએ કહ્યું છે કે, પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના રોજ મળેલી આઝાદીનો લાભ ઉઠાવી શક્યું નથી. સંગઠનનું કહેવું છે કે, આર્થિક સંકટ, ગરીબી, હિંસા, ભ્રષ્ટાચાર, ઈસ્લામિક વ્યવસ્થાના અભાવે દેશને શાંતિ અને સમૃદ્ધિથી દૂર કરી દીધો છે. આ સાથે TTPએ દેશમાં હાલના સંકટ માટે પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી છે.

TTPએ કહ્યું કે, આઝાદીના 76 વર્ષ પછી પણ પાકિસ્તાન આત્મનિર્ભર દેશ તરીકે વિકસિત નથી થયું. આ પછી TTPએ ભારતનું ઉદાહરણ આપ્યું. સંગઠને કહ્યું કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ સિવાય ટીટીપીએ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની આર્થિક સ્થિતિની પણ પ્રશંસા કરી હતી. આતંકવાદી સંગઠને દેશમાં આર્થિક સંકટ માટે પાકિસ્તાની સૈન્ય અને ઉચ્ચ વર્ગને જવાબદાર ઠેરવ્યા છે. સંગઠનનું કહેવું છે કે તેમના કારણે જ દેશ છેલ્લા 76 વર્ષમાં કંઈ કરી શક્યો નથી. TTPએ કહ્યું છે કે ટૂંક સમયમાં તે શરિયા કાયદા સાથે પાકિસ્તાનને વાસ્તવિક સ્વતંત્રતા આપશે.