Site icon Revoi.in

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે જૂની બિલ્ડીંગમાં યોજાવાની શકયતા

Social Share

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તા. 7મી ડિસેમ્બરથી પ્રારંભ થવાની શકયતા છે, આ સત્ર તા. 29મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. હાલ વિધાનસભાની નવી બિલ્ડીંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, સંસદનું આ શિયાળુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાય તેવી શકયતા છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ કરીને નવેમ્બરના ત્રીજા અઠવાડીયામાં શરુ થાય છે. આ સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થાય છે. જો કે 2017 અને 2018માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું.

લગભગ 1200 કરોડ રૂપિયાની અનુમાનિત ખર્ચથી તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનનું આ મહિનાના અંત અથવા ડિસેમ્બરની શરુઆતમાં પ્રતિકાત્મક ઉદ્ધાટન શક્ય છે. હાલમાં જ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યોની સમીક્ષા કરવા માટે કહ્યું હતું. અને કામ ઝડપી આગળ વધતું હોવાનું કહેવાય છે. ફિનિશિંગ ટચ આપવામાં આવી રહ્યું છે. સરકાર નક્કી કરશે કે, તેનું ઉદ્ધાટન ક્યારે કરવામાં આવે.

નવી સંસદ ભવનનું કામ શિયાળુ સત્ર પહેલા પૂર્ણ કરવાનું આયોજન હતું પરંતુ અમુક કામગીરીમાં નિર્ધારિત સમય કરતા વધારે સમય લાગી રહ્યો છે. બીજી તરફ હાલ હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આજે હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં તા. 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ ગુજરાત હિમાચલ પ્રદેશમાં સાથે જ મતગણતરી હાથ ધરવામાં આવશે.