ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી નામની પહેલના અંદાજનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે દેશમાં (અકાળે) મૃત્યુદરની ટકાવારી 64.8 ટકા છે.
રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં કેન્સરને કારણે મૃત્યુદર ખૂબ જ વધારે છે. આનાથી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ (દર વર્ષે 1.2 ટકા અને 4 ટકા વચ્ચે) પુરુષોની સરખામણીએ (1.2 ટકા અને 2.4 ટકાની વચ્ચે) “ચિંતાજનક રીતે” ઝડપથી વધી રહ્યા છે.
આ રિસર્ચને એ પણ દર્શાવ્યું છે કે કેન્સરને કારણે મૃત્યુદરનો બોજ મહિલાઓ પર ખૂબ જ વધારે છે. આનાથી એવી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ પુરુષોની સરખામણીએ (વર્ષે 1.2 ટકા અને 4 ટકા વચ્ચે) પુરુષોની સરખામણીએ (1.2 ટકા અને 2.4 ટકા વચ્ચે) “ચિંતાજનક રીતે” ઝડપથી વધી રહ્યા છે.
ભારતમાં કેન્સરથી થતા મૃત્યુના ઊંચા દર માટે ડોકટરો અનેક પરિબળોને જવાબદાર માને છે. જેમાં મોડેથી નિદાન અને સમયસર યોગ્ય સારવાર મેળવવાના પડકારોનો સમાવેશ થાય છે.
ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના ડેટા અનુસાર, ભારતમાં કેન્સરથી થતા અકાળ મૃત્યુની અનુમાનિત સંખ્યા 2000 માં 490,000 થી 87 ટકા વધીને 2022 માં 917,000 થવાની ધારણા છે. તે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પહેલ છે. જેણે 185 દેશોમાંથી કેન્સરનો ડેટા એકત્રિત કર્યો છે.
સ્ત્રીઓમાં સ્તન કેન્સર એ સૌથી વધુ પ્રચલિત કેન્સર છે. જે તમામ નવા કેસોમાં 13.8 ટકા યોગદાન આપે છે, ત્યારબાદ મૌખિક (10.3 ટકા), સર્વાઇકલ (9.2 ટકા), શ્વસન (5.8 ટકા), અન્નનળી (5 ટકા) અને કોલોરેક્ટલ (5 ટકા) આવે છે.
મોઢાનું કેન્સર પુરુષોમાં સૌથી વધુ જોવા મળે છે. જે તમામ નવા કેસોમાં 15.6 ટકા ફાળો આપે છે, ત્યારબાદ શ્વસન (8.5 ટકા), અન્નનળી (6.6 ટકા) અને કોલોરેક્ટલ (6.3 ટકા) આવે છે.