Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા બંદોબસ્ત – સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા દુશ્મનોની નજર પહેલી રહેતી હોય છે એવી સ્થિતિમાં હવે પ્રજાસત્તાક દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં  પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.જેથી કરીને 26મી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિને ટાળી શકાય.

પ્રાપ્ત જાણકીર પ્રમાણે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાન મોટા ષડયંત્રને અંજામ આપી શકે છે. સુરક્ષા એજન્સીઓએ આ બાબતને લઈને એલર્ટ  જારી કર્બાયું છએ આ સહીત  વહીવટીતંત્રે જમ્મુના સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા 1 કિલોમીટરની ત્રિજ્યામાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે.

જમ્મુના સંવેદનશીલ સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા 1 કિલોમીટરની ત્રિજ્યામાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે. આ રાત્રિ કર્ફ્યુ આગામી 2 મહિના સુધી ચાલુ રહેશે

આ સહીત સાંબા જિલ્લાના ડીએમ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને આગામી ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને, સાંબા જિલ્લાથી 1 કિલોમીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે

ઘણા સમયથી આતંકીઓના કાવતરાને લઈને  સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાની ઘૂસણખોરો સવારના ફોગનો ફાયદો ઉઠાવીને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી કરીને કોઈ પણ નાપાક ઈરાદાઓને અંજામ આપી શકે છે આવી સ્થિતિમાં હવે સેના સજ્જ બની છે.કોઈ પણ પરિસ્થિતિને ભરછંડી અને ગાઢ ઘુમ્મસમાં પણ માત આપી શકાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.