Site icon Revoi.in

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: PM મોદીએ કહ્યું- ત્રિપુરામાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર બનશે

Social Share

અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરાની મુલાકાતે છે.અંબાસામાં એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનશે.પીએમએ કહ્યું કે વિકાસનું એન્જિન બંધ ન થવું જોઈએ.રાજ્યમાં હવે કોઈ પછાતપણું નથી.અમારી પાસે માતા અને બહેનોના આશીર્વાદ છે.

ત્રિપુરાના અંબાસામાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં પોલીસ સ્ટેશનો પર સીપીએમ કેડરોનો કબજો હતો, પરંતુ હવે ભાજપના શાસનમાં રાજ્યમાં કાયદાનું શાસન છે.હવે, રાજ્યમાં મહિલા સશક્તિકરણ છે અને જીવન નિર્વાહ કરવાનું સરળ છે.

 પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓ સુધી કોંગ્રેસ અને સામ્યવાદીઓના શાસને ત્રિપુરાના વિકાસમાં અવરોધ ઊભો કર્યો.ભાજપ સરકારે ત્રિપુરામાં વિકાસ કર્યો.હિંસા હવે ત્રિપુરાની ઓળખ રહી નથી.ભાજપે રાજ્યને ભય અને હિંસા મુક્ત બનાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે ભોત્રીપુરામાં ગામડાઓને જોડવા માટે 5000 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.

અગરતલા ખાતે નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું હતું.ઓપ્ટિકલ ફાઈબર અને 4G કનેક્ટિવિટી ગામડાઓ સુધી વિસ્તરી રહી છે.હવે ત્રિપુરા વૈશ્વિક બની રહ્યું છે. અમે ઉત્તર પૂર્વ અને ત્રિપુરાને બંદરો સાથે જોડવા માટે જળમાર્ગો વિકસાવી રહ્યા છીએ.