1. Home
  2. Tag "tripura"

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે […]

ત્રિપુરાઃ બાંગ્લાદેશ સરહદ પર ઘુસણખોરીમાં વધારો, એક વર્ષમાં બીએસએફએ 744 લોકોને પકડ્યાં

નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ઘુસણખોરીના બનાવોને અટકાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્તની સાથે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વર્ષ 2023માં બીએસએફએ 744 ઘુસણખોરોને ઝડપી લીધા છે. જેમાં 112 રોહિંગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદે રીતે ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં ઘુસણખોરીના બનાવોમાં […]

હવે ત્રિપુરામાં હિજાબ વિવાદ , યુવકે શાળામાં હિજાબ પહેરવાનું સમર્થન આપતા અન્ય લોકો દ્રારા મારપીટની ફરીયાદ નોંધાઈ

દિલ્હીઃ- કર્ણાટકમાં થોડા મહિના અગાઉ હિજાબ વિવાદ સર્જાયો હતો આ મામલો સુપ્રિમકોર્ટ સુઘી પહોચ્યો હતો શાળામાં વિદ્યાર્થીનીઓ દ્રાર હિજાબ પહેરવા પર પ્રતિબંઘ મૂકાયો હતો જો કે બે દિવસ અગાઉ આવી જ ઘટના મુંબઈની કોલેજમાંથી સામે આવી ત્યારે હજી તે વિવાદ શાંત નથી થયો ત્યારે તો હવે ત્રિપુરા રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવી છે ,જો […]

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના આંચકા  3.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની […]

આજે ત્રિપુરામાં કેર પૂજાનો તહેવાર – પ્રધાનમંત્રી મોદીએ તમામને પાઠવી શુભેચ્છાઓ

  દિલ્હી – દેશભરમાં અવાર નવાર તહેવારો આવતા રહેતા હોય છે દરેક ઘર્મના તહેવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અથવા જે તે રાજ્યોના તહેવાર હોય તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવતા હોય છએ ત્યારે આજે કેરી પૂજાને લઈને ત્રિપુરાના લોકોને પીએમ મોદીે શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએએ કેર પૂજાના અવસર પર ત્રિપુરાના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ […]

ત્રિપુરામાં જગન્નાથજીનો લોખંડનો રથ હાઈટેન્શનના વાયર સાથે સ્પર્શ થતાં 7નાં મોત:18 લોકો દાઝી ગયા

અગરતલાઃ  ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળવામાં આવેલી જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. અને 18  શ્રદ્ધળુઓ ગંભીરરીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીન સત્તાવારરીતે આ દૂર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. […]

ત્રિપુરાની સરકારનો મહત્વનો નિર્ણય – રાજ્યના 8 જીલ્લાઓના 75 ગામો સ્વતંત્રતા સેનાનીના નામથી ઓળખાશે

  અગરતલાઃ- ત્રિપુરાની સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે જે અનુસાર સ્વતંત્ર સેનાનીઓને સન્માન મળવા જઈ રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના 75 ગામો હવે સ્વતંત્ર સેનાનીના નામેથી ઓળખાશે. ત્રિપુરા સરકારે રાજ્યના 75 સરહદી ગામોને નામ આપવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર જે ગામોને નામની નવી ઓળખ મળવાની છે તે ગામો ખાસ રીતે જાણીતા […]

ત્રિપુરામાં મૂર્તિઓનું રહસ્ય,આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી,વિદેશથી લોકો આવે છે ફરવા

ત્રિપુરાનું ઉનાકોટી વિશાળ જંગલો અને વહેતી નદીઓની વચ્ચે આવેલું છે. તેની ગણતરી પૂર્વોત્તરના સૌથી મોટા રહસ્યોમાં પણ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા ઘણા વર્ષો સુધી અજ્ઞાત સ્વરૂપમાં અહીં રહી હતી. જો કે, ધીમે ધીમે લોકોને તેની જાણ થઈ રહી છે અને અહીં મુલાકાત લેવા આવી રહ્યા છે. આ સ્થળ ત્રિપુરાની રાજધાની […]

કાળઝાળ ગરમીના કારણે ત્રિપુરામાં શાળાઓ બંધ,23 એપ્રિલ સુધી રહેશે બંધ

ત્રિપુરામાં આ દિવસોમાં પ્રવર્તતી ગરમીને કારણે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધી બંધ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ આની જાહેરાત કરી હતી. રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓ બંધ કરવાની ઘોષણા કરતા તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તીવ્ર ગરમી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેમણે રાજ્યની ખાનગી શાળાઓને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code