Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ માયાવતીએ મુલાયમ સિંહ યાદવ અને સપા ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એકબીજા વિરુદ્ધ ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ખુલ્લેઆમ ભાજપને મળ્યા છે, બસપાને નહીં. તેમણે 2017માં શપથ ગ્રહણ સમારોહમાં પણ અખિલેશને આશીર્વાદ આપ્યા હતા અને હવે તેમના કામ માટે એક સભ્યને ભાજપમાં મોકલ્યો છે.

માયાવતીએ ટ્વીટ કર્યું કે, યુપીના આંબેડકરવાદી લોકો સપાના વડા અખિલેશ યાદવને ક્યારેય માફ નહીં કરે, જેમણે તેમની સરકારમાં તેમના નામની યોજનાઓ અને સંસ્થાઓના નામ બદલી નાખ્યા. આ અત્યંત નિંદનીય અને શરમજનક છે. યોગી સરકારનો બીજો શપથ ગ્રહણ 25 માર્ચે થવાનો છે. આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે કોઈ નેતા સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શુક્રવારે શપથ ગ્રહણમાં 40થી વધુ મંત્રીઓ શપથ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને બસપાનું ધોવાણ થયું હતું. 250થી વધારે બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. ભાજપ દ્વારા સીએમ યોગીના નેતૃત્વમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.