Site icon Revoi.in

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી !,લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી

Social Share

દિલ્હીમાં આતંકી હુમલા માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની આતંકવાદી સંગઠન દિલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ અંગે રાજધાનીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકીઓ 15 ઓગસ્ટ પહેલા મોટો હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.

સુરક્ષા એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ દિલ્હીમાં ડ્રોન દ્વારા એક મોટી આતંકવાદી કાવતરું કરવાની યોજના બનાવી રહ્યા છે. જે બાદ સમગ્ર રાજધાનીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં 5 ઓગસ્ટે પણ આતંકી ષડયંત્રનો ખતરો વધી ગયો છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.

ખરેખર, 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી.એવામાં આતંકી હુમલો કરવાની કાવતરુંનું જોખમ વધી ગયું છે. આતંકવાદી હુમલાની ચેતવણીને ધ્યાનમાં રાખીને પહેલીવાર દિલ્હી પોલીસ અને અન્ય દળોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. જેમાં સોફ્ટ કીલ, હાર્ડ કીલ અને ટ્રેનીંગ સામેલ છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા ચેતવણી મુજબ, એન્ટી સોશિયલ એલિમેન્ટ અને આતંકવાદી અથવા સ્લીપર સેલ કોરોનાને બહાનું બનાવીને દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડ્રોન જેહાદના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુ સેનાના મુખ્ય મથક ખાતે એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી રહી છે.