77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો તખ્તો તૈયાર,પીએમ મોદી આઇકોનિક લાલ કિલ્લા પરથી આ ઉજવણીનું કરશે નેતૃત્વ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ, 2023ના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આ ઐતિહાસિક સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને રૂઢિગત સંબોધન કરશે. આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીનું સમાપન કરશે, જેનો પ્રારંભ વડાપ્રધાનએ 12 માર્ચ, 2021ના રોજ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરાવ્યો […]