Site icon Revoi.in

અમે લોકોના હિત માટે કામ કરતા રહીશુઃ રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયાં હતા. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તરપ્રદેશ, મણિપુર અને પંજાબમાં કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની હાર સ્વિકારીને કાર્યકરોનો આભાર માન્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જનતાના ફેલસાનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ, જનાદેશ જીતનારાઓને શુભકામનાઓ, હું તમામ કોંગ્રેસી કાર્યકરો અને સ્વયંસેવકોનો તેમની સખત મહેનત અને સમર્પણ માટે આભાર માનું છું. આ પરિણામથી આપણે શિખીએ અને લોકોના હિતો માટે સતત કામ કરતી રહીએ.

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે કોઈ પણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કર્યું ન હતું અને એકલાહાથે ચૂંટણી લડી હતી. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી તથા અન્ય નેતાઓએ જાહેરસભાઓ સંબોધિત કરી હતી. જો કે, કોંગ્રેસ લોકોની ભીડને મતમાં ફેરવવામાં નિષ્ફળ રહી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.