Site icon Revoi.in

વિશ્વ પર્યાવરણ દિવસઃ અમદાવાદ સહિતના શહેરોમાં 21 લાખ તુલસીના રોપાનું વિતરણ

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પર્યાવરણના જતન માટે તમામ દેશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તા. 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં આજે અમદાવાદ સહિતના કોર્પોરેશન વિસ્તારોમાં 21 લાખ તુલસીના રોપાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં પ્લાસ્ટીક કચરના નિકાલ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા અને રાજકોટમાં એક-એક લાખ, ગાંધીનગર, જૂનાગઢ અને જામનગરમાં 50-50 હજાર તુલસીના રોપાનું વિતરણ કરીને લોક જાગૃતિ ફેલાવાશે. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં જગ્યાની ઉ૫લબ્ઘી પ્રમાણે તુલસી રો૫ણ કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યપ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટીક કચરાના નિકાલની ઝુંબેશ હાથ ઘરવામાં આવશે.

સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરાઇ રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા વનીકરણ, અને ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના વ્યા૫ક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે આયુષ્ય રથ દ્વારા રાજયના તમામ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા-ઔષઘિઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વન વિભાગ નાગરિકોના આરોગ્ય માટે ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.