Site icon Revoi.in

તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 3 વર્ષમાં 91 કરોડની આવક

Social Share

વિશ્વની સાતમી અજાયબી, તાજમહેલને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓના આગમનને કારણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને ભારે આવક થાય છે. એએસઆઈને તાજમહેલની ટિકિટના વેચાણથી ત્રણ વર્ષમાં લગભગ 91 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે આ ત્રણ વર્ષમાં તાજના સંરક્ષણ પર માત્ર 9.41 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો છે.

માહિતી અધિકાર અધિનિયમથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને વર્ષ 2020-2021 અને વર્ષ 2023-2024 વચ્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તાજમહેલમાંથી 91.23 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ASI સમગ્ર દેશમાં અન્ય કોઈ વિશ્વ ધરોહર કે સ્મારકની ટિકિટોથી એટલી કમાણી કરતું નથી. તાજમહેલના સંરક્ષણ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ASIના ખર્ચના આંકડા સંરક્ષણના રહસ્યો ઉજાગર કરી રહ્યા છે. જ્યારે કોવિડ પહેલા, ASI એ તાજમહેલ પર 12 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, કોવિડ પછી ખર્ચ માત્ર 9 કરોડ રૂપિયા હતો. કોવિડ પછી, તાજની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે અને લગભગ બમણી સંખ્યામાં પ્રવાસીઓ તાજ સુધી પહોંચ્યા છે. વર્ષ 2020-21માં 5.12 કરોડ, 2021-22માં 29 કરોડ અને 2022-23માં લગભગ 57 હજારની આવક થઈ હતી. જ્યારે તેની જાળવણી પાછળ વર્ષ 2020-21માં 3.39 કરોડ, 2021-22માં 2.84 કરોડ અને 2022-23માં 3.17 કરોડનો ખર્ચ થયો હતો.

આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, કોવિડના ત્રણ વર્ષ પહેલા, તાજમહેલની કમાણી 34.27 કરોડ રૂપિયા હતી, જ્યારે સંરક્ષણ પર ખર્ચ 12.37 કરોડ રૂપિયા હતો. કોવિડ પહેલા, ખર્ચ અને કમાણી વચ્ચે બહુ તફાવત નહોતો. કોવિડ પછી, ASIએ તેની કમાણીનો માત્ર 10 ટકા સંરક્ષણ પર ખર્ચ કર્યો છે.