Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 9,177 કેસ નોંધાયા, અમદાવાદમાં 2621 કેસ, કુલ – સાતના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે શનિવારે આંશિક ઘટાડો થયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 9,177  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં બે-બે, અને સુરત જિલ્લો, નવસારી અને રાજકોટ જિલ્લામાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 1,76,918  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,46,60,282 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 92.39 છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગઈકાલે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. આજે શનિવારે 9,177 કેસ નોંધાતા 842 કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે શુક્રવારે 3090 કેસ નોંધાયા હતા. જ્યારે આજે શનિવારે 2621 કેસ નોંધાતા 469 કેસનો ઘટાડો થયો છે.  રાજ્યમાં આજે 5,404 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 59564 છે.જેમાં વેન્ટીલેટર પર 60 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 59504 છે,

રાજ્યભરમાં આજે લોકોએ કોરોનાની પરવા કર્યા વિના વાસી ઉત્તરાયણનું પર્વ ભારે ઉલ્લાસથી ઊજવ્યું હતું.  ગુજરાતમાં કોરોનાના આજે 9,177 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2621 કેસ, સુરત શહેરમાં 2215 કેસ, વડોદરા શહેરમાં 1211  કેસ, આણંદમાં 78  કેસ, કચ્છમાં 87 કેસ, રાજકોટ શહેરમાં 438 કેસ, ખેડામાં 59, કેસ  ભરૂચમાં 63  કેસ, અમદાવાદ જિલ્લામાં 45 કેસ, ગાંધીનગર શહેરમાં 218  કેસ, અને જિલ્લામાં 102,રાજકોટ જિલ્લામાં 149 કેસ, ભાવનગર શહેરમાં 250 કેસ અને જિલ્લામાં 45 કેસ, જામનગર શહેરમાં 121 કેસ, તેમજ સાબરકાંઠામાં 35 અને બનાસકાંઠામાં 81 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે સાતના મોત નિપજ્યા હતા.જેમાં અમદાવાદ અને સુરતમાં બે-બે, સુરત જિલ્લો, નવસારી, અને રાજકોટ જિલ્લામાં એક-એકનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરમાં આજે એકપણ કેસ નોધાયો નહતો.