Site icon Revoi.in

કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં પહોંચ્યું,નિષ્ણાતોએ આપી ચેતવણી

Social Share

દિલ્હી:દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડાને જોતા મોટા ભાગના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.પરંતુ તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટએ ફરી બધાની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું આ નવું વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ છે.તેનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.માહિતી અનુસાર, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં BF.7 સબ-વેરિઅન્ટનો પ્રથમ કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

નવા વેરિઅન્ટ પછી, સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની સલાહ આપી છે કારણ કે BF.7 અને BA.5.1.7 વેરિઅન્ટને ચીનમાં કોવિડ-19ના કેસમાં ઉછાળાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ્સ BA.5.1.7 અને BF.7, અત્યંત ચેપી તરીકે જાણીતા છે અને હવે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યા છે.

લોકડાઉન અને નિયંત્રણોમાં છૂટછાટ બાદ, ભારતમાં લોકો દેશના સૌથી મોટા તહેવારોમાંના એક દિવાળીની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોએ દિવાળી, ધનતેરસ, ગોવર્ધન પૂજા અને ભાઈ દૂજ પહેલા જ યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે.

નિષ્ણાતોએ કહ્યું કે,કોઈએ માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઈએ અને જો કોઈ લક્ષણો દેખાય તો તરત જ આઈસોલેટ થઈ જવું જોઈએ.બે અભ્યાસો સૂચવે છે કે bf.7 વેરિઅન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કરતાં અગાઉની રસી અને એન્ટિબોડીઝમાં ટકી શકે છે અને તેથી વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે.