Site icon Revoi.in

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રએ દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને આપી ચેતવણી  

Social Share

દિલ્હી:ચીન અને અમેરિકામાં કોવિડના કેસોના ફરી વધારા વચ્ચે સરકારે પાંચ રાજ્યોને ચેતવણી જારી કરીને કોઈ પણ પ્રકારની ઢીલ ન કરવા જણાવ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે,દેશના રોજના નવા કોવિડ કેસોમાં કેટલાક રાજ્યોનું યોગદાન ઘણું વધારે છે.

તેમણે કહ્યું કે, ‘કોવિડના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને ફરીથી ખોલવા માટે પગલાં લઈ રહ્યા છે. એવામાં, કોવિડ-19ના સંચાલન માટે જોખમ મૂલ્યાંકન આધારિત અભિગમને અનુસરવાની જરૂર છે.’ આ પત્ર કેરળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાની સરકારોને મોકલવામાં આવ્યો છે.

કેરળના દક્ષિણ રાજ્યમાં ગયા અઠવાડિયે 2,321 નવા કેસ નોંધાયા હતા, જે ભારતમાં નવા કેસના 31.8% જેટલા છે.રાજ્યનો સાપ્તાહિક પોઝિટીવિટી રેટ પણ 13.45% થી વધીને 15.53% થયો છે.રાજ્યોને પાંચ-સ્તરીય વ્યૂહરચનાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે જેમાં પરીક્ષણ, ટ્રેકિંગ, સારવાર, રસીકરણ અને કોવિડના યોગ્ય સંચાલનનું પાલન સામેલ છે.

દેશમાં શુક્રવારે કોવિડ-19 ના નવા કેસોમાં 7.3 ટકાનો વધારો થયો છે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,109 કેસ નોંધાયા હતા.માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 43 લોકોના મોત થયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં રસીકરણ કાર્યક્રમ હેઠળ 16,80,118 ડોઝ આપવામાં આવ્યા હતા.

 

Exit mobile version