Site icon Revoi.in

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ 6 બોટ સાથે 35 ભારતીય માછીમારોનું અપહરણ

Social Share

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાંથી 6 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો આવી ચડ્યાં હતા. તેમજ માછીમારો કંઈ પણ સમજે તે પહેલા જ છ ભારતીય બોટમાં ઘુસ્યાં હતા અને માછીમારી કરતા માછીમારોને બંધક બનાવ્યાં હતા. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 6 બોટ સાથે 35 માછીમારોને બંધક બનાવ્યાં હતા. તેમજ તેમનું અપહરણ કરીને કરાંચી બંદર તરફ નીકળ્યાં હતા.

પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ અપહરણ કરેલી તમામ બોટ પોરબંદરની હોવાનું જાણવા મળે છે. આ અંગેની જાણ થતા માછીમારોમાં રોષ ફેલાયો છે. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા 4 બોટ સાથે 20 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા. આ બાદ 2 બોટના 11 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા.