Site icon Revoi.in

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો.

જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક દયારામ ઉર્ફે નન્હેની ધરપકડ કરી છે. આ બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, જેલ અધિનિયમ, ષડયંત્ર, ગુનેગારોને આશ્રય આપવાની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસમાં જેલના અન્ય અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. આ કેસની તપાસ માટે સિટની રચના કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશની જેલમાં વર્ષ 2020થી બંધ અશરફની સંડોવણી પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેમના સુરક્ષા કર્મચારી ઉપર થયેલા કેસમાં સામે આવી હતી. હવે STF પણ તપાસમાં જોડાયું છે. અશરફના સાળા સદ્દામ અને લલ્લા ગદ્દીએ જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. એક આઈડી પર છ-સાત લોકોને અશરફ સાથે મુલાકાત કરાવવામાં આવતી હતી. અશરફ માટે પૈસા, ખાવાનું અને અન્ય વસ્તુઓ જેલની અંદર પહોંચતી હતી. અશરફ અઠવાડિયામાં બેથી 3 વાર સાગરિતો સાથે મળીને જમાવડો કરતા હતા. અશરફને કોર્ટમાં રજુ કરવામાં આવતો ત્યારે તેના સાગરિતો સાથે મુલાકાત કરતો હતો. આ માટે જેલના અધિકારીઓ અને સ્ટાફને પણ તગડી રકમ મળતી હતી. અશરફ તેના સાળા સદ્દામ, બરેલીના રહેવાસી લલ્લા ગદ્દી સાથે મળીને પોલીસ અધિકારીઓ, સાક્ષીઓ, વગેરેની હત્યાનો પ્લાન બનાવતો હતો.

શિવહરિ અને દયારામની પૂછપરછમાં આવી અનેક હકીકતો સામે આવી છે. અશરફ ઉર્ફે ખાલિદ અહેમદને 11 જુલાઈ 2020ના રોજ પ્રયાગરાજથી બરેલી જેલમાં લાવવામાં આવ્યો હતો. ઉમેશપાલ હત્યા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદ અને તેના પરિવારને પોલીસ એન્કાઉન્ટરનો ભય ફેલાયો છે.