આપણે બધા જાણીએ છીએ કે પિઝા, બર્ગર, મોમો જેવા ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે સ્થૂળતા, વધેલા કોલેસ્ટ્રોલ લેવલ અને હૃદય રોગ તરફ દોરી શકે છે.
પરંતુ રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પીઝા, બર્ગર, મોમોઝ જેવા બિનઆરોગ્યપ્રદ ફાસ્ટ ફૂડ ખાવાથી 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં પાચન કેન્સર અને આંતરડાના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
તાજેતરમાં, ઓસ્ટ્રેલિયાની ફ્લિંડર્સ યુનિવર્સિટીમાં રેડ મીટ, પ્રોસેસ્ડ મીટ, ફાસ્ટ ફૂડ, શુગરી ડ્રિંક અને આલ્કોહોલના વધુ પડતા સેવનની આડઅસરો પર સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આ વસ્તુઓનું સેવન કરવાથી ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ રહે છે વધે છે.
એક્સપર્ટ મુજબ, ફાસ્ટ ફૂડ ખાસ કરીને પિઝા, બર્ગર, મોમોસનું સેવન કરવાથી શરીરમાં બળતરા વધે છે, જેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે. એક્સપર્ટના મતે, 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોમાં પણ આંતરડાના કેન્સરના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેઓ તેમના આહારમાં ઓછા ફાઇબરનો ઉપયોગ કરે છે અને વધુ ફાસ્ટ ફૂડ ખાય છે.
જે લોકો તેમના આહારમાં વધુ ફળો, શાકભાજી, આખા અનાજ, ચરબીયુક્ત માછલી, કઠોળ અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેઓ ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ હોવાનું જણાયું હતું.
એક્સપર્ટના મતે, પ્રોસેસ્ડ ફૂડ, ડીપ ફ્રાઈડ ફૂડ આઈટમ્સ અને શુગરી ડ્રિંક કેન્સરનું જોખમ વધારી શકે છે, કારણ કે આ ખોરાકમાં હાઈ ફેટ અને હાઈ શુગર હોય છે, જે શરીરમાં બળતરા અને કેન્સર પેદા કરતા તત્વોને વધારી શકે છે. આ ફાસ્ટ ફૂડમાં કેમિકલ્સ અને આર્ટિફિશિયલ એડિક્ટિવ હોય છે, જે શરીરના મેટાબોઝ્મને બેલેંસ કરે છે અને હેલ્ધી સેલ્સને ડેમેજ કરીને કેન્સરના સેલ્સ વધારી શકે છે. આવી સ્થિતિમાં, ડોકટરોનું માનવું છે કે હેલ્ધી ફેટ્સ અને શાકભાજીથી ભરપૂર ખોરાક ખાવાથી અને ઓછી શુગર અને આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.