Site icon Revoi.in

BJP જાણી જોઈને રાહુલ ગાંધીને હિરો બનાવી સંસદની કાર્યવાહીમાં ખલેલ પાડી રહી છેઃ મમતા બેનર્જી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચેનું અંતર ઘટવાના બદલે વધી રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા અટકી રહ્યા નથી. દરમિયાન TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ યુકેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનોને મુદ્દો બનાવીને સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહી છે અને સળગતા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે તેમને ‘હીરો’ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદીને કોઈ નિશાન બનાવી શકશે નહીં. મમતા બેનર્જીએ મુર્શિદાબાદ જિલ્લામાં પાર્ટીની આંતરિક બેઠકમાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડવામાં નિષ્ફળ રહી છે અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે કોંગ્રેસની મૌન સમજુતી હતી, જે ઘણું સુચવે છે.

તૃણમૂલ કોંગ્રેસના મુર્શિદાબાદ જિલ્લા પ્રમુખ અને સાંસદ અબુ તાહિરે કહ્યું, “અમારા પક્ષ પ્રમુખે અમારી આંતરિક બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે, ભાજપ જાણીજોઈને રાહુલ ગાંધીને ‘હીરો’ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહી છે. સાંસદ અબુ તાહિરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટાંકીને કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી તેના હિતોને પૂર્ણ કરવા માટે આવું કરી રહી છે જેથી અન્ય વિપક્ષી પાર્ટીઓ સામાન્ય લોકો સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવી ન શકે. તેઓ રાહુલ ગાંધીને વિપક્ષી છાવણીના ‘હીરો’ બનાવવા માંગે છે. તાહિરે જણાવ્યું કે, બહેરામપુર પાર્ટી ઓફિસમાં મુર્શિદાબાદ જિલ્લાની આંતરિક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે વાત કરી હતી.

Exit mobile version