Site icon Revoi.in

BJPના વિવિધ પ્રદેશના પ્રમુખો-પદાધિકારીઓની જે.પી.નડ્ડાએ તા. 22 અને 23મીએ બોલાવી બેઠક

Social Share

નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વની મનાતી પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજ્ય થયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો દોરી સંચાર થયો છે. દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ તા. 22 અને 23મી ડિસેમ્બરના રોજ દેશના વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિતના પદ્દાધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ રાષ્ટ્રીય અધિકારીઓ, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠન મંત્રી, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી અને તમામ મોરચાના પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં આ બેઠક યોજાશે અને લોકસભા ચૂંટણીમાં 325 બેઠકો જીતવાના લક્ષ્યાંક પર ચર્ચા કરવામાં આવશે.

ગયા મહિને નવેમ્બરમાં પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આ મહિને 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. પાંચમાંથી, ભાજપે ત્રણ હિન્દી હાર્ટલેન્ડ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જોરદાર જીત મેળવી હતી અને ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદ માટે નવા ચહેરાઓને તક આપી હતી. આવી સ્થિતિમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું આ એક મોટું પગલું હોવાનું કહેવાય છે.

બીજેપીના વિજયરથને રોકવા માટે અનેક વિપક્ષી દળોએ સાથે આવીને I.N.D.I.A ગઠબંધનની રચના કરી છે. કોંગ્રેસ પાર્ટી તેનું નેતૃત્વ કરી રહી છે. એક તરફ વિપક્ષી ગઠબંધન આગામી બેઠકની તારીખ નક્કી કરવામાં સફળ રહ્યું છે, તો બીજી તરફ ભાજપે લોકસભા ચૂંટણી માટે લગભગ સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. ત્રણ રાજ્યોમાં જીત એ પાર્ટીનો ટ્રાયલ રન હતો અને હવે ભવિષ્યની રણનીતિ આને અનુસરવાની રહેશે. બીજેપીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે લોકસભા ચૂંટણી પ્રચાર ઔપચારિક રીતે શરૂ થશે ત્યાં સુધીમાં પાર્ટીએ સમગ્ર દેશમાં કાર્યકરો અને મતદારોને એકત્રિત કરવાનું કામ પૂર્ણ કરી લીધું હશે.

લોકસભા ચૂંટણીની આંતરિક બેઠકોમાં જેપી નડ્ડાએ 35 કરોડ મતદારોનો લક્ષ્યાંક રાખ્યો છે. વર્ષ 2019માં ભાજપને લગભગ 22 કરોડ વોટ મળ્યા હતા. આ લક્ષ્‍યાંક માત્ર વાત નથી, પરંતુ આ માટે ભાજપની મોટાભાગની જિલ્લા કચેરીઓમાં 300થી વધુ કોલ સેન્ટરો કાર્યરત છે અને જિલ્લાના કાર્યકરો અને ધારાસભ્યો જનસંપર્ક કરી રહ્યા છે.