Site icon Revoi.in

અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

Social Share

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ઘાતક ગણાતા ‘ચાંદીપુરા વાયરસ’નો પોઝિટિવ કેસ સામે આવતાં જ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા ચાર વર્ષના માસૂમ બાળકના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વેલન્સ, કૉમ્બિંગ અને દવાના છંટકાવ સહિતના નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં નોંધાયેલો ચાંદીપુરા વાયરસનો કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા અને મૂળ દાહોદના ચાર વર્ષના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ એએમસીના હેલ્થ વિભાગે ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં સેન્ડફ્લાય (સૂક્ષ્મ માખી)ના ઉપદ્રવને અટકાવવા માટે દવાનો સ્પ્રે અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરી છે.

ચાંદીપુરા વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. ચેપ ફેલાવતી સેન્ડફ્લાય માખીને નષ્ટ કરવા સતત જંતુનાશક દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી ૧૨ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે અને દુઃખદ રીતે ૮ દર્દીઓના મોત નીપજ્યા છે. હજુ પણ ૮ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે, જ્યારે સારવાર હેઠળ રહેલા બે બાળકો સજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (Sandfly) નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને ગ્રામ્ય કે અર્ધ-શહેરી વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત વાતાવરણમાં ફુલેફાલે છે.

બચાવ માટે શું કરવું અને શું ન કરવું?

Exit mobile version