Site icon Revoi.in

ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યોઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે બપોરના સમયે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હતું. ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી છે. હું તેની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું!

દરમિયાન ISROના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે, “ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. આપણા LVM-3 એ ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહેલેથી જ સ્થાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ની અવકાશ સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરતા ચંદ્રયાન ૩ ના ઇસરો દ્વારા આજે શ્રી હરિકોટા થી કરવામાં આવેલા સફળ લોન્ચિંગ નું જીવંત પ્રસારણ  ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલય માંથી નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં  ભારત સતત જે વિશ્વ સિદ્ધિઓ  મેળવી રહ્યું છે તેમાં આ ચંદ્રયાન ૩ લોન્ચિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે તે માટે તેમણે આનંદ વ્યકત કરી ચંદ્રયાન લોન્ચિંગ સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન-3ના લોન્ચિંગ ઉપર ભારતની જનતા ઉપરાંત દુનિયાભરના દેશની નજર હતી. દરમિયાન સુપ્રસિદ્ધ સેંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકએ ઓડિશાના પુરી બીચ ઉપર રેતથી ચંદ્રયાન-3ની તસ્વીરને કંડારી હતી. ચંદ્રયાન-3ના લોન્ચિંગને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ દેશની જનતાને શુભકામનાઓ પાઠવી હતી.