Site icon Revoi.in

રાજકોટમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓ સ્વૈચ્છાએ કરી રહ્યા છે પ્લાઝમાનું દાન

Social Share

રાજકોટ :  શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. શહેરની હોસ્પિટલો  દર્દીઓથી  ઉભરાઈ રહી છે. અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે મહામારી ટોચ પર પહોંચી ત્યારે કોરોનાની ઝપટે ચડેલા અને સાજા થયેલા દર્દીઓ હવે હાલના દર્દીઓ સાજા થાય તે માટે સ્વૈચ્છાએ તેમના શરીરમાં કુદરતી પેદા થયેલ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત એક વર્ષમાં 600 દર્દીઓને અને હવે પંદર દિવસમાં જ 140થી વધુ દર્દીઓને પ્લાઝમાનું દાન કર્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ  જણાવ્યું કે પ્લાઝમાએ કોરોના સામે શરીરને રક્ષણ આપતું તત્વ એન્ટીબોડી છે. તે લોહીમાં હોય છે. અગાઉ કોરોના થી સાજા થયેલા દર્દીઓ છે, તે હવે આગળ આવ્યા છે અને પ્લાઝમાંનું દાન કરી રહ્યા છે. ગત વર્ષે 600 લોકોએ પ્લાઝમાંનું દાન કર્યું હતું. જ્યારે છેલ્લા 15 દિવસમાં 140 થી વધુ લોકોએ પ્લાઝમાંનું દાન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં હવે પ્લાઝમા દાતાનાં એન્ટીબોડી ટેસ્ટ ઉપરાંત કોરોના રિપોર્ટ પણ લેવાય છે. છ મહિનામાં કોરોના થયો હોય તેમના જ પ્લાઝમા લેવાય છે. રેમડેસિવિર ઇન્જેક્શનની દર્દીઓને ગંભીર આડઅસરો પણ થાય છે અને મોડરેટ દર્દીમાં કે જેણે થોડુ ઘણુ ઈન્ફેક્શન ફેફસાંમાં ગયું હોય તેમાં જો દર્દી ખાસ કરીને કિડનીની તેમજ લીવરની બિમારીથી પીડાતા હોય તો આ ઈન્જેક્શનથી આડઅસર ગંભીર બનવાનું જોખમ છે. આ કારણે આવા દર્દીને ઈન્જેક્શન આપી શકાતું નથી પણ પ્લાઝમા ચડાવી શકાય છે.  તબીબોએ વધુમાં રહ્યુ હતું કે, વેક્સીન લેવાથી તે સ્પાઈક પ્રોટીન હોય છે અને તેનો આંક ઉંચો હોય છે પરંતુ તેનાથી જે તે વ્યક્તિને કોરોનાથી સુરક્ષા મળે છે પરંતુ તે અન્ય કોરોના દર્દીને આપી શકાતું નથી.

કુદરતી રીતે શરીરમાં આવતું એન્ટીબોડી. જે આઈજીજી કે આઈજીએમથી મપાય છે. રાજકોટમાં આઈજીજી મપાય છે અને તે એન્ટીબોડી કોરોનાથી સાજા થયેલા દર્દીમાં આવે છે. જે બીજા દર્દીને બચાવવા માટે ઉપયોગી થાય છે અને તે દાન કરી શકાય છે.