Site icon Revoi.in

રીંગણમાં ઉચ્ચ ફાઈબર, ડાયાબિટીસ-હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેને આ રીતે ખાવુ જોઈએ

Social Share

રીંગણમાં હાઈ ફાઈબર જોવા મળે છે જે ઘણા પોષક તત્વો આપે છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્ટસ પણ હોય છે પણ તેનુ લેવલ ઘણુ ઓછુ રહે છે. ખાસકરીને ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી માટે રીંગણ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સિવાય રિંગણ ખાવાથી સ્ટ્રેસ, ગ્લૂકોઝ, બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. રિંગણ ખાવાના ઘણા ફાયદા છે.

• રિંગણમાં જોવા મળતા વિટામિન
રિંગણમાં વિટામિન બી6, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન ઈ જોવા મળે છે. જે સેહત માટે ખુબ સારા માનવામાં આવે છે. વિટામિન બી6 કે પાયરિડોક્સિન એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. જે કુદરતી રીતે રિંગણમાં હોય છે. આ શરીરમાં લોહીની કમીને મેનેજ કરે છે.
બીટા કૈરોટીનઃ શરીરમાં જ્યારે બીટા-કૈરોટીન રેટિનોલની કમી હોય છે તો રિંગણ ખાઈને આ કમીને પૂરી કરી શકાય છે. આંખોને હેલ્દી બનાવવાની સાથે ઈમ્યૂનિટી મજબૂત કરવામાં સક્ષમ છે રિંગણ. આ સ્કિનને અંદરથી ગ્લોઈંગ અને હેલ્દી બનાવે છે.

રિંગણમાં મૈગ્નેશિય જોવા મળે છે મઃ હ્રદય, હાડકા, માંસપેશિઓની નસોની પ્રોબ્લેમથી રાહત આપવામાં રિંગણ સારા હોય છે. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. જે શરીરને હેલ્દી રાખવાનું કામ કરે છે. આ બીપીને કંટ્રોલ રાખવાની સાથે નસો માટે પણ સારા હોય છે. જો તમે તમારુ બીપી કંટ્રોલમાં રાખવા માગો છો તો રોજ રિંગણ ખાઓ.

• પાચનતંત્ર માટે પણ ફાયદાકારક રિંગણ
રિંગણ પાચન તંત્ર માટે ખુબ ફાયદાકારક હોય છે. તેને આહારમાં ઉમેરવાથી આંતરડા અને આતરડાની કામગીરી સારી રહે છે.

Exit mobile version