Site icon Revoi.in

અમદાવાદમાં 3 દુકાનોમાં લાગી આગઃ આઠ શ્રમિકોનું રેસ્ક્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગ અન્ય બે દુકાનોમાં પ્રસરી હતી. આગની આ ઘટનામાં આઠ શ્રમજીવીઓ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા આઠેય શ્રમીકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નારણપુરા વિસ્તારમાં સ્ટેડિમય નજીક આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના બનતા આઠેક શ્રમજીવીઓ ફસાયાં હતા. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ફસાયેલા આઠેય શ્રમજીવીઓનું રેસ્ક્યુ કર્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયરબ્રિગેડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.