Site icon Revoi.in

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

Social Share

ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદનથી ઓવૈસી ભાઈઓ અને અરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા નેતા રૂબીના ખાનમએ ઓવૈસી બંધુઓ અને મુસ્લિમ દેશોને ઉપર આકરા પ્રહાર કરીને અણિયારા સવાલ કર્યાં હતા. તેમણે કહ્યું કે 100 કરોડ હિન્દુઓની મૂર્તિઓને અપશબ્દો કહેવામાં આવે છે. તેમનું અપમાન કરવામાં આવે છે, તેમની અશ્લીલ તસવીરો બનાવવામાં આવે છે, તેના પર કોઈ બોલતું નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આરબ દેશો અંગે તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ આ સમયે તેમના દેશને સમર્થન આપવું જોઈએ.

મુસિલ્મ મહિલા નેતા રૂબીનાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, નુપુર શર્મા પ્રકરણમાં પયગંબર મોહમ્મદ પર અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે મને દુઃખ થયું છે અને તેની નીંદા કરું છું, કોઈપણ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવું આપણા દેશની સંસ્કૃતિ નથી. આ ઘટના બાદ ભાજપે જે રીતે તેના પ્રવક્તા નુપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે, તે ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા માટે એક પ્રશંસનીય પગલું છે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી ભારતના 100 કરોડ હિન્દુઓની આરાધનાનું અપમાન કરે છે ત્યારે મને દુઃખ થાય છે. તેઓ તેમના પર વાંધાજનક નિવેદન પણ કરે છે પરંતુ તેઓ નિર્દોષ છૂટી જાય છે. તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. પરંતુ ઓવૈસી જે રીતે પ્રકરણમાં સવાલ ઉઠાવી રહ્યા છે, તેવી જ રીતે તેઓ પોતાની પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો જે 100 કરોડ હિંદુઓની આસ્થાનું અપમાન કરે છે તેમની સામે કાર્યવાહી કરશે. કદાચ અક્બરુદ્દીન ભાઈ હોવાથી અસદુદ્દીન કાર્યવાહી નહીં કરે. જેથી ઓવૈસીને આ મુદ્દે બોલવાનો અને સવાલ પૂછવાનો અધિકાર નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘જે રીતે અરબ દેશો આપણા દેશ પર આંગળી ચીંધી રહ્યા છે તેનાથી મને દુઃખ થાય છે, પરંતુ જ્યારે મ્યાનમારમાં લાખો મુસ્લિમોનો નરસંહાર થાય છે, તેમને હાંકી કાઢવામાં આવે છે, ત્યારે આ આરબ દેશ ચૂપ રહે છે. જ્યારે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યારે તમામ મુસ્લિમ દેશો મૌન રહે છે. જ્યારે એમ.એફ.હુસૈન જેવા ચિત્રકારે 100 કરોડ હિંદુઓની ભાવનાઓનું અપમાન કર્યું અને તેમના દેવી-દેવતાઓના અશ્લીલ ચિત્રો બનાવ્યા ત્યારે આરબ દેશોએ એક વખત પણ તેમની નિંદા નથી કરી? તે આપણા ઇસ્લામ અને પયગંબર મુહમ્મદના શિક્ષણની વિરુદ્ધ પણ છે.