Site icon Revoi.in

કાશ્મીરી પંડિતોએ પીએમ મોદી અને અમિત શાહને અપીલ કરી, એલજી મનોજ સિન્હાને બદલવા માંગણી

Social Share

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિત સંજય શર્માની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઓક્ટોબર 2021થી ખીણમાં માર્યા ગયેલા સંજય ચોથા કાશ્મીરી પંડિત છે.

KPSS ના પ્રમુખ સંજય કે ટીકુએ કહ્યું કે, ભારત સરકારે કાશ્મીરી પંડિતોની સુરક્ષાના મુદ્દાને ઉકેલવામાં વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નરની “નિષ્ફળતા” સ્વીકારવી જોઈએ. તેમણે KPSSને કાશ્મીર ખીણની સ્થિતિ પર નજીકથી ધ્યાન આપવા અને વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને ઉચ્ચ સ્તરે હસ્તક્ષેપ કરવા અને ધાર્મિક સુરક્ષાના મુદ્દાને સંબોધવામાં વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નરની નિષ્ફળતાને સ્વીકારવા માટે કહ્યું.

સંજય ટીકુએ વધુમાં કહ્યું કે, અમારુ સંગઠન હાથ જોડીને વડાપ્રધાન અને ગૃહમંત્રીને અનુરોધ કરે છે કે, પોતાના વ્યક્તિગત એજન્ડો અને આત્મ-દંભને આરામ આપો અને આ મુદ્દે ગંભીરતાથી લઈને કાશ્મીરી પંડિતોને મારવા બદલ હાલના વર્તમાન રાજ્યપાલને તુરંત બદલવા જોઈએ. KPSS પ્રમુખે ભારત સરકારને આતંકવાદીઓ અને ખીણમાં રહેતા નિર્દોષ કાશ્મીરી પંડિતો અને અન્ય ધાર્મિક લઘુમતીઓના જીવન બચાવવા માટે તેમના સમર્થન સામે ‘ક્રૂર અભિયાન’ શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવા જણાવ્યું હતું.