Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ મનપા માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે તા 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તેમજ 2 માર્ચના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજાઈ રહી છે. દરમિયાન મતગણતરી અંગે ચૂંટણીપંચે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.  ગાઈડલાઈન અનુસાર, મત ગણતરી હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં આપવામાં આવે. મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે.  મતગણતરી પહેલાં સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે. મત ગણતરી સ્થળે તમામ કર્મચારી, અધિકારીઓને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે. મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. વિજેતા ઉમેદવાર મત ગણતરીના સ્થળે સભા કે સરઘસ કરી શકશે નહીં. મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારને લઈને ચૂંટણીપંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.