Site icon Revoi.in

જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે

Social Share

નવી દિલ્હી: આગામી 25 થી 27 જુલાઇ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ 26 જુલાઇના રોજ દ્રાસ યુદ્વ સ્મારક કારગિલ ખાતે યોજાનારા કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.

વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ યુદ્વ સ્મારક પર માલ્યાર્પણ કરવાનું હતું. રાષ્ટ્રપતિ ઘાટીમાં કેટલાક સમારંભ સંબોધિત કરે તેવી પણ શક્યતા છે. તેમાં એક શૈક્ષણિક સંસ્થાના દીક્ષાંત સમારંભનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિના પ્રવાસનો વિસ્તૃત કાર્યક્રમ હજુ જાહેર નથી કરવામાં આવ્યો પરંતુ તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જમ્મુ કાશ્મીર પ્રવાસને ધ્યાનમાં રાખીને અતિરિક્ત પોલીસ મહાનિદેશક સુરક્ષા વિંગ એસડી સિંહ જામવાલે એક આદેશ જાહેર કર્યો છે. તેમણે તમામ ગૌણ કર્મચારીઓને રજા આપવાની ના પાડી દીધી છે.