Site icon Revoi.in

ભારતમાં કોરોનાની બીજી લહેર ક્યારે સમાપ્ત થશે, જાણો શું કહે છે નિષ્ણાંતો

Social Share

નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે ફેબ્રુઆરી 2021થી લઇને એપ્રિલ 2021 સુધી ચાલેલી આ લેહરમાં દૈનિક ધોરણે 3 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હતા.

ફેબ્રુઆરી 2021 થી એપ્રિલ 2021માં કેસની તીવ્રતા તે જોવા મળી હતી તેમાં 9 મે પછી ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં ચાલી રહેલી બીજી લહેર હવે પીક પોઇન્ટ પર આવી ચૂકી છે. અર્થાત્ લોકો હવે પહેલા કરતાં વધુ સજાગ બન્યા છે અને નિયમોનું પાલન કરી રહ્યા છે. પીક અપ પોઇન્ટ બાદ આ લહેર ક્યારે પૂર્ણ થશે તેને લઇને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે આગામી 10-15 દિવસમાં આ લહેર પૂરી થઇ જશે તેવું સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસીન વિભાગના ડૉક્ટર જુગલ કિશોરે જણાવ્યું હતું.

જો કે તેમણે લહેરની પૂર્ણ થવાની સાથોસાથ કેટલાક અગત્યના સૂચનો કર્યા છે જેમાં નિયમોનું પાલન કરવું, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું, બજારમાં ભીડભાડ ના થવા દેવી જેવી તકેદારી રાખવી પડશે. સરકાર જો વેક્સિન પ્રક્રિયાને વધુ વેગવાન બનાવશે તો આપણે લહેરને ઝડપી પૂરી કરી શકીશું.

હાલમાં એક્ટિવ કેસો ઓછા આવી રહ્યા છે જેનો અર્થ એ છે કે લોકો હવે એકબીજાના સંપર્કમાં ઓછા આવી રહ્યા છે. લોકો કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતા જોવા મળી રહ્યા છે. જે કેસો આવ્યા હતા તેમાં કેટલાક સંક્રમિતો એવા પણ હતા કે જેની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાને લીધે તેઓ સ્વસ્થ થઇને ઘરે પરત જઇ ચૂક્યા છે.