Site icon Revoi.in

કોરોના વેક્સિન માટે નેપાળે ભારત સરકાર પાસે માંગી મદદ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની રસીને કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. દરમિયાન ભારતના પડોશી દેશ નેપાળે કોરોના વાયરસની વિક્સન માટે ભારત પાસે મદદ માગી છે. નેપાળના 20 ટકા લોકોને રસી આપવા માંગણી કરી છે.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં કોરોનાની રસીને લઈને અંતિમ ટ્રાયલ ચાલી રહી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા રસીને મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની રસીને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે. ભારતના પડોશી દેશ નેપાળમાં પણ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2.60 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1800 વ્યક્તિઓના મોત થયાં છે.

દરમિયાન નેપાળ સરકારને ભારતને પત્ર લખીને દેશની 20 ટકા લોકોને રસી આપવા વિનંતી કરી છે. નેપાળ સરકારે મોટા ભાગના દેશોને તેમજ વ્યક્તિગત કંપનીઓને મદદ માટે પત્રો લખ્યા છે. તેમ નેપાળના કોવિડ-૧૯ વેસ્કિન સલાહકાર સમિતિના કો ઓર્ડિનેટર ડો. શ્યામ રાજ ઉપરેટીએ કહ્યું હતું. અગાઉ પણ નેપાળ સરકારે ભારત,ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટનને રાજદ્વારી નોંધ મોકલી હતી. ત્યારે ભારત સરકારે કોવિડ-19ની રસી તૈયાર થઈ ગયા પછી વેહલામાં વહેલી તકે નેપાળ મોકલાવાની ખાતરી આપી હતી.