Site icon Revoi.in

હવે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામ

Social Share

કેન્દ્રીય રેલ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ગેરંટી છે કે રેલ યાત્રા કરવા દરમિયાન કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે. વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીએ રેલવેમાં અભૂતપૂર્વ પરિવર્તન કર્યાં છે.

કેન્દ્રીય મંત્રીએ ભાર આપી કહ્યું- આગામી પાંચ વર્ષમાં પીએમ મોદીની ગેરંટી છે કે રેલવેની ક્ષમતા એટલી વધી જશે કે યાત્રા કરનાર લગભગ દરેક યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે.

ઝડપથી બની રહ્યાં છે ટ્રેક
પાછલા દાયકામાં ભારતીય રેલવેમાં શું પરિવર્તન આવ્યા તેનું એક ઉદાહરણ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રેલવે ટ્રેક બનાવવાની પ્રક્રિયામાં 2004થી 2014 વચ્ચે લગભગ 17000 કિલોમીટર ટ્રેક બનાવવામાં આવ્યા હતા.

અશ્વિની વૈષ્ણવે કહ્યું- 2014થી 2024 સુધી 31000 કિલોમીટર નવા ટ્રેક બનાવવામાં આવ્યા. 2004થી 2014 સુધી 10 વર્ષમાં માત્ર 5000 કિલોમીટર જેટલા રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ થયું. જ્યારે છેલ્લા 10 વર્ષમાં આશ્ચર્યજનક રૂપથી 44000 કિલોમીટર રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ થયું છે.

10 વર્ષમાં બન્યા 54000 કોચ
અશ્વિની વૈષ્ણવે આગળ કહ્યું- 2004-2014 સુધી માત્ર 32000 કોચ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં 54000 કોચ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, માલવાહક પરિવહન માટે કોરિડોરનો એક પણ કિલોમીટર 2014 પહેલા કાર્યરત થયો ન હતો. હવે, 2,734 કિમીના બે સમર્પિત ફ્રેટ કોરિડોર ચાલુ કરવામાં આવ્યા છે.”

આગામી પાંચ વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થાના વિકાસની મજબૂત કડી રેલવેને વધુ મજબૂત કરવામાં આવશે તથા વિશેષ કરી યાત્રીકોની સુવિધાનો વિસ્તાર ખુબ ઝડપથી કરવામાં આવશે.