Site icon Revoi.in

ઓડિશામાં 7મીથી 9મી જાન્યુઆરી સુધી સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન

Social Share

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન ઓડિશાના વિવિધ સ્થળોએ 7મીથી 9મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા-11માં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આ કાર્યક્રમ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ જેવા કે પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને માછલી ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેનું સન્માન કરશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) યોજના, KCC અને અન્ય યોજનાઓ દ્વારા લેવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પહેલોનો વ્યાપકપણે માછીમારોમાં પ્રસાર કરવામાં આવશે.

સાગર પરિક્રમા તબક્કો-XI ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ એટલે કે ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર જિલ્લાને આવરી લેશે. આ પ્રસંગે ફિશરીઝ વિભાગ, ભારત સરકાર, ઓડિશા સરકાર, નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરી સર્વે ઓફ ઈન્ડિયા, માછીમાર સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

સાગર પરિક્રમા યાત્રામાં માછીમારો, માછલી ખેડૂતો અને અન્ય સંબંધિત હિતધારકો સાથે સમીક્ષા બેઠકો અને વાર્તાલાપનો સમાવેશ થાય છે. KCC અને અન્ય પ્રવૃત્તિઓ પર ઝુંબેશ ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. રાજ્યના મત્સ્યોદ્યોગ અધિકારીઓ, માછીમારોના પ્રતિનિધિઓ, માછલી-ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, માછીમાર સહકારી મંડળીના આગેવાનો, વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો અને દેશભરમાંથી અન્ય હિતધારકો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

ઓડિશા રાજ્ય 480 કિ.મી.નો દરિયાકિનારો, 24,000 કિમી 2 ખંડીય શેલ્ફ વિસ્તાર, 0.017 મિલિયન કિમી 2 એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, 33 સીફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, 57 આઇસ પ્લાન્ટ્સ અને 3 ફિશ એન્ડ શ્રિમ્પ ફીડ મિલ સાથે સંભવિત અને વૈવિધ્યસભર જળ સંસાધનોથી સમૃદ્ધ છે. ઓડિશાની જળચર જૈવવિવિધતા અને માછલીની સંપત્તિ 16 લાખથી વધુ માછીમારોને ટકાવી રાખે છે અને વાણિજ્યિક માછીમારી, જળચરઉછેર વગેરે સહિત અસંખ્ય વધારાની પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.

“સાગર પરિક્રમા” ના પ્રથમ તબક્કાની યાત્રા 5મી માર્ચ 2022 ના રોજ માંડવી, ગુજરાતથી શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં, સાગર પરિક્રમાના કુલ દસ તબક્કાઓ ગુજરાતના દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, દમણ અને દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીને આવરી લેવામાં આવ્યા છે.

સાગર પરિક્રમા લોકોની મુશ્કેલીઓને ઓળખીને તેમના જીવનની ગુણવત્તા અને આર્થિક સુખાકારીમાં સુધારો કરે છે, અને તે માછીમારોને તેમના ઘરઆંગણે જ સરકારી અધિકારીઓ સાથે મળવાની ઉત્તમ તક પૂરી પાડે છે. સાગર પરિક્રમા માછીમારો, મત્સ્ય ખેડુતોના પ્રશ્નોના નિરાકરણમાં સતત મદદ કરશે અને વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY), કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ અન્ય કાર્યક્રમ દ્વારા તેમના આર્થિક ઉત્થાનને સરળ બનાવશે.

મત્સ્યોદ્યોગ ક્ષેત્રને સૂર્યોદય ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે અને સમાજના નબળા વર્ગના આર્થિક સશક્તિકરણ દ્વારા સમાન અને સર્વસમાવેશક વૃદ્ધિ લાવવાની અપાર સંભાવનાઓ ધરાવે છે. વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં 8% હિસ્સા સાથે, ભારત ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક, બીજો સૌથી મોટો એક્વાકલ્ચર ઉત્પાદક, સૌથી મોટો ઝીંગા ઉત્પાદક અને વિશ્વમાં ચોથો સૌથી મોટો સીફૂડ નિકાસકાર છે. સાગર પરિક્રમાનો ઉદ્દેશ માછીમારો, દરિયાકાંઠાના સમુદાયો અને હિતધારકો સાથે વાતચીત કરવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલી વિવિધ મત્સ્યોદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી પ્રસારિત કરવાનો અને માછીમાર લોકોને પડતી સમસ્યાઓને સમજવાનો છે.