Site icon Revoi.in

આસામમાં પૂરથી 37 હજારથી વધુ લોકો પ્રભાવિત, ચારનાં મોત

Social Share

ગુવાહાટી, 15 જુલાઈ 2026: આસામમાં પૂરને કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મૃત્યુઆંક વધીને હવે ચાર થયો છે અને અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ ચાર ગણી વધીને 37000થી વધુ થઈ ગઈ છે.

બુલેટિન અનુસાર, પૂરના પાણી સોનિતપુર, ડિબ્રુગઢ, લખીમપુર, ધેમાજી, જોરહાટ અને શિવસાગર એમ છ જિલ્લાઓમાં ફેલાઈ ગયા છે. બાર મહેસૂલી વર્તુળો અને 99 ગામો પ્રભાવિત થયા છે.

પૂરથી કુલ 37,032 લોકો પ્રભાવિત થયા છે, જેમાં લખીમપુર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. સોમવારે છ જિલ્લાઓમાં 9,600થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.

વધુ વાંચો: બુલંદશહેરના નિઝામપુરમાં નાણાકીય વ્યવહારને લઈને ગોળીબાર, બે લોકોનાં મોત

Exit mobile version