1. Home
  2. Tag "Affected"

પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

ગુજરાતઃ ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસનને લઈને સરકારે કર્યો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ઉકાઈ જળાશયમાં ડુબાણમાં ગયેલી જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના અસરગ્રસ્તોના પુનઃવસનના આ નિર્ણયથી હજારો લોકોને લાભ મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉકાઈડેમના અસરગ્રસતો માટે પુનર્વસન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉકાઇ જળાશયમાં ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં 50 વર્ષ પહેલા નવી શરતે ફાળવાયેલી જમીન-પ્લોટ કે મકાનને ખાસ […]

ભારે વરસાદથી પ્રભાવિત છ જિલ્લામાં રાહત-કામગીરીની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી કરી હતી. આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા […]

સુરત રેલવે સ્ટેશન પર સફાઈ અને યાત્રીઓની સુવિધા મુદ્દે યાત્રી સેવા સમિતિ પ્રભાવિત, પુરસ્કારની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધારેલા કેન્દ્રીય રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત ‘યાત્રી સેવા સમિતિ’ના ચેરમેન રમેશચંદ્ર રત્નએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધે હતી, અહીં સ્વચ્છતા અને યાત્રી સુવિધાથી તેઓ પ્રભાવિત થયા હતા, અને સુરત સ્ટેશન તંત્રને રૂ.10000 પુરસ્કાર રાશિ ઘોષિત કરી હતી. તેમણે જરૂરી પંખાઓ અને સિટીંગ બેન્ચીસ ફાળવવામાં આવશે એમ જણાવ્યું હતું. તેમણે ચાઈલ્ડ રેસ્ક્યુની […]

અમદાવાદના ગોમતીપુરના મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર ન મળતા ધરણાં કરાયાં

અમદાવાદઃ શહેરમાં મેટ્રોરેલ પ્રોજેક્ટના ફેઈઝ-ટૂનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા જ મકાનો અને દુકાનોની કપાત મેટ્રો પ્રોજેક્ટને કરવામાં આવી છે. છતાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળ્યું ન હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક આર્મીમેનના પરિવારો પણ અસરગ્રસ્તો બન્યા છે. તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માટે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહાર બન્યો પ્રભાવિત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ-જામનગરમાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ ડિવિઝનના અલિયાવાડા-જામવંથલી સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનોનું સંચાલન ખોરવાતાં કેટલીક ટ્રેનોના સમય બદલી રિશિડ્યુલ કરાઇ છે, જ્યારે કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઇ છે. જ્યારે કેટલીક ટ્રેનોને રાજકોટ અને જામવંથલી સ્ટેશને અટકાવી દેવાતા પેસેન્જરોને હાલાકી પડી હતી. જોકે રેલવેએ પેસેન્જરોને પાણીની બોટલ અને ફૂડ પેકેટ […]

ભારે વરસાદને લીધે કોકણ રેલવે પ્રભાવિત બનતા અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ્સ બદવાયા

અમદાવાદ:  મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં કોકણ વિસ્તારમાં વરસાદે ભારે ખાના કરાબી સર્જી છે,  જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોનની ઘણીબધી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ્સ પણ પ્રભાવિત બન્યા છે. મહારાષ્ટ્રમાં કોંકણ નદી ખતરાના નિશાન પર […]

તાઉતે વાવાઝોડુ : અસરગ્રસ્ત 3 જિલ્લાના લોકોને રૂ. 25.60 કરોડની કેશડોલ્સ ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ […]

વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને માલધારીઓ માટે વિશેષ રાહત પેકેજ આપવા CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લીધે સૌથી વધુ અસર ખેતી અને વીજ પુરવઠાને થઈ છે. વાવાઝોડાને લીધે બાગાયતી પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યાં છે. સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે પશુધન માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે પશુપાલકો અને માલધારીઓ માટે સવિશેષ રાહત પેકેજની માંગ કરી છે. કોંગ્રેસના નેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code