Site icon Revoi.in

PM મોદીએ ગુજરાતના બીજેપી નેતાઓ સાથે કરી બેઠક,CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી હાજરી

Social Share

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિના બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમના કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી  શનિવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, તેમણે ભાજપના રાજ્ય મુખ્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બેઠક યોજી હતી.ભાજપની બેઠકમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના ગૃહ રાજ્યની મુલાકાત ખતમ કરીને દિલ્હી જવા રવાના થયા હતા.

આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યમાંથી પાર્ટીની કોર કમિટીના મોટાભાગના સભ્યોએ હાજરી આપી હતી.આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત વસાવા અને વર્તમાન લોકસભાના સાંસદો ભારતીબેન શિયાળ અને રંજનબેન ભટ સહિતના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકનું મહત્વ છે કારણ કે રાજ્યમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન મોદીએ આગામી ચૂંટણી માટે સત્તાધારી પક્ષની તૈયારીઓનો હિસાબ લીધો હતો અને જીત માટે સૂચનો આપ્યા હતા.બીજેપીના રાજ્ય મુખ્યાલયમાં વડા પ્રધાનની બેઠક તેમના સત્તાવાર કાર્યક્રમનો ભાગ ન હતી અને તે પછીથી આયોજન કરવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાને રાજ્યના નેતૃત્વની કોર કમિટીની બેઠકમાં હાજરી આપવાની વિનંતી સ્વીકારી છે.જો કે, તેમણે મીટિંગની વિગતો આપી ન હતી.

 

Exit mobile version