Site icon Revoi.in

PM મોદી 28 અને 29મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 28મી જુલાઈથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ ગુજરાત પ્રવાસમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 15મી જુલાઈના રોજ રાજ્યના પ્રવાસે આવવાના હતા જો કે, ભારે વરસાદને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28 અને 29મી જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાતની મુલાકાત દરમિયાન સાબરકાંઠા અને ગાંધીનગરના ગીફ્ટ સીટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાબરડેરીના એક હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગીફ્ટ સિટીના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.