Site icon Revoi.in

અમદાવાદમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ તા.30 એપ્રિલ સુધી બંધ રહેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં હવે સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી તા. 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નિર્દેશ બાદ જન સેવા તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈને શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અમદાવા જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મદદનીશ નિયંત્રકના પરિપત્રથી તમામ ઝોનલ કચેરીઓમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તેને લઈને રેશનકાર્ડની તમામ કામગીરી કોરોના ગાઈડ લાઈનના પાલન કરવા માટે ઝોનલ ઓફિસરોને જાણ કરવામાં આવી છે અને કામગીરી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે રેશનકાર્ડની વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ ધારકો કોરોનાના નિયમોના પાલન સાથે મળવાપાત્ર રેશનજથ્થો મેળવવાને પાત્ર રહેશે. તે ઉપરાંત રેશન દુકાનો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રેશનકાર્ડ હોલ્ડરોને આવશ્યક ચીજ વસ્તુઓનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ ચાલુ રાખી શકશે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ જિલ્લા કલેકટરે પરિપત્ર બહાર પાડી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી હેઠળના દસક્રોઈ, ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામના જનસેવા કેન્દ્રો, પ્રાંત તેમજ મામલતદાર તા.23 એપ્રિલ સુધી નાગરિકો અરજદારોની સેવા માટે બંધ કરવા આદેશ આપ્યો છે. આવશ્યક સંજોગોમાં મામલતદારનો સંપર્ક કરવા જણાવાયું છે.અહીં ઉલ્લેખનીય છે કે 12 થી 25 એપ્રિલ ના બાર દિવસ દરમિયાન સાત દિવસ કામકાજના છે તે રજા રહેશે જ્યારે બાકીના પાચ દિવસમાં રવિવાર અને જાહેર રજા હોવાથી જનસેવા કેન્દ્રો બંધ રહેશે.