1. Home
  2. Tag "Corona Epidemic"

કોરોના મહામારીથી કેટલી ખતરનાક છે ચીનમાં ફેલાયેલ નવી બીમારી ?, WHOએ આપ્યું આ અંગે અપડેટ

દિલ્હી: કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી પણ ચીનના લોકો રાહતનો ‘શ્વાસ’ લઈ શકતા નથી. કોરોના જેવી ભયાનક બીમારી બાદ હવે ત્યાં એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે. ભારે તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી આ બીમારીને કારણે હજારો માસુમ બાળકો હોસ્પિટલના બેડ પર પહોંચી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ પણ કોરોનાની જેમ […]

કોરોના મહામારીઃ રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ, કેન્દ્ર પાસે રસીના 12 લાખ ડોઝની માંગણી

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ પણ જોડાયાં હતા. તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ […]

કોરોના મહામારીઃ હવે 6થી 12 વર્ષના બાળકોને રસી આપીને સુરક્ષિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે અને હાલ 12 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા દેશમાં 6થી 12 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનને ઈમનરજન્સી મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધારે […]

કોરોના મહામારીઃ ડોમેસ્ટીક મુસાફરોને કોવિડ ટેસ્ટમાંથી અપાઈ મુક્તિ

નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે કેટલાક નિયત્રંણો અમલમાં મુક્યાં હતા જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જેથી સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને વધુ એક રાહત આપી છે. ડોમેસ્ટિક મુસાફરી કરનારા પ્રવાસીઓનો હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં નહીં આવે. કેન્દ્રીય ઉડયન મંત્રી સિંધીયાઍ જણાવેલ કે, સ્થાનીક […]

ભારતઃ કોરોના મહામારી સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હી: બે વર્ષ પછી, કેન્દ્ર સરકારે 31 માર્ચથી કોવિડ -19 સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો પહેલાની જેમ જ અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે. દેશમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને અને પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે […]

કોરોના મહામારીઃ બહુચરાજી મંદિર 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સ્થળો ભક્તો બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બહુચરાજી મંદિર તા. 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે અમદાવાદ સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. દરમિયાન વિવિધ મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન મહેસાણાના […]

ભારતમાં કોરોના મહામારી વચ્ચે 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો, અજબપતિઓની સંખ્યા વધી

ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા અરબપતિઓની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે દેશની કુલ સંપત્તિની 40 ટકા સંપત્તિ અજબપતિઓ પાસે દિલ્હીઃ ભારતમાં આર્થિક અસમાનતા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર દેશમાં અરબપતિઓની સંખ્યા વધીને 142 ઉપર પહોંચી છે. આ અરબપતિઓ પાસે દેશની 40 ટકાથી વધારે સંપત્તિ છે. બીજી તરફ 2021 દરમિયાન […]

કોરોના કહેરઃ હરિયાણાના 11 જિલ્લા કડક પ્રતિબંધ લગાવાયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થયું હોય તેમ એક જ દિવસમાં જ 90 હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. જેને લઈને દેશના વિવિધ રાજ્યોમાં પ્રતિબંધની શરૂઆત થઈ ચુકી છે. અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દિલ્હીમાં તાજેતરમાં વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી. હવે હરિયાણાના 11 જિલ્લાને કોરોનાને લઈને રેડ ઝોન […]

કોરોના મહામારી 2024 સુધી ચાલી શકે છે: મીકાએલ ડોલસ્ટેન

કોરોનાને લઈને મહત્વની આગાહી ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે કરી આગાહી કહ્યું મહામારી 2024 સુધી ચાલી શકે છે કોરોનાથી હવે લોકો કંટાળી ગયા છે, કોરોનાના નવા નવા વેરિયન્ટ આવતા રહે છે અને લોકો હેરાન પરેશાન થતા રહે છે. આવામાં ફાઈઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું કે કંપનીની ધારણા છે કે, કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code