Site icon Revoi.in

રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

Social Share

ગાંધીનગર: વિધાન સભા ગૃહમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે. જેમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ.2 લાખ કરતાં ઓછો નહીં એટલા દંડની સજા થશે.

આ કાયદો પસાર થયા બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે. કોઇપણ સ્ત્રી સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન એક ગુનો ગણાશે. એટલું જ નહીં, પરંતુ આવા લગ્ન કરનાર-કરાવનારા વિરુદ્વ પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઇ છે. સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રીની સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

બિલની હાઇલાઇટ

– 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
– લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
– સગીર-અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે
– ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
– ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો
– બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
– કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
– લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી

કોઇ હશે ફરિયાદી

સ્ત્રી પક્ષના લોહી સંબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ.5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદઅને 2 લાખનો દંડ થશે.

(સંકેત)