Site icon Revoi.in

હોળી-ધુળેટીમાં વિરપુરનું જલારામ મંદિર ભક્તો માટે રહેશે બંધ, આ ચાર દિવસ મંદિર બંધ રહેશે

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. હોળી-ધૂળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિર જતા હોય છે. જેના કારણે પહલે દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો અને હવે વિરપુર, જલારામ બાપાનું મંદિર પણ 27 થી 30મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

દ્વારકા મંદિર (Dwarka Temple) 27થી 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે, 28મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોના વાયરસના (Coronavirus) કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 450થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે.

(સંકેત)