Site icon Revoi.in

પ્રખ્યાત મલયાલમ કવયિત્રી પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરાશે

Social Share

નવી દિલ્હીઃ મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે જે 2022માં પ્રકાશિત થયો હતો. કાવ્યાત્મક શૈલીમાં લખાયેલી આ નવલકથામાં સત્તા અને રાજકારણ, વ્યક્તિ અને રાજ્ય, કલા અને સત્તા વચ્ચેના સંઘર્ષને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો છે.