Site icon Revoi.in

IPL 2024 પૂર્વે ચેન્નાઈ સુપર કિંગની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપાઈ

Social Share

મુંબઈઃ દેશમાં આવતીકાલે શુક્રવારથી ક્રિકેટના મહાકુંભ મનાતા આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને આઈપીએલની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાવાની છે. તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્નશીપને લઈને બહુ મોટે ફેરફાર કરવામાં આવ્યો છે. સીએસકેની કપ્તાની એમએસ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. પ્રથમ મેચના પ્રારંભ પહેલા જ કેપ્ટનશીપને લઈને સીએસકેમાં મોટા ફેરફારને લઈને ધોનીના પ્રશંસકો પણ ચોંકી ઉઠ્યાં હતા.

ગત આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજ્ય થયો હતો. તેમજ તે સિઝન તેમની અંતિમ હોવાનું ચર્ચાયું હતું. બીજી તરફ ધોનીના પ્રશંસકો કેપ્ન કૂલને સ્ટેડિયમમાં રમતો જોવા ઉત્સુક છે. દરમિયાન સીએસકેમાં કેપ્ટનશીપને લઈને મોટો ફેરફાર કરવામાં આવતા પ્રંશસકો પણ ચોંકી ઉઠ્યાં છે. દરમિયાન રિષભ પંત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી આવૃત્તિમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. વિકેટકીપર-બેટ્સમેન 14 મહિના પછી ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે, અને વિઝાગમાં દિલ્હી કેપિટલ્સના પ્રી-સીઝન તૈયારી કેમ્પનો ભાગ રહ્યો છે.

આ પ્રસંગે બોલતા, દિલ્હી કેપિટલ્સના અધ્યક્ષ અને સહ-માલિક પાર્થ જિંદાલે તાજેતરમાં જણાવ્યું હતું કે, “અમને અમારા કેપ્ટન તરીકે રિષભનું પુનરાગમન કરીને આનંદ થાય છે. ગ્રિટ અને નિર્ભયતાએ હંમેશા તેની ક્રિકેટની બ્રાન્ડને વ્યાખ્યાયિત કરી છે. હું તેને અમારી ટીમ માટે ફરી એકવાર બહાર નીકળતો જોવા માટે રાહ જોઈ શકતો નથી કારણ કે અમે નવા જોશ, ઉત્સાહ અને ઉત્સાહ સાથે નવી સિઝનની રાહ જોઈ રહ્યા છીએ.”

ટીમના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ કહ્યું હતું કે, “રિષભે તેના જીવનના સૌથી પડકારજનક તબક્કામાંના એક દરમિયાન અવિશ્વસનીય રીતે સખત મહેનત કરી છે. મને કોઈ શંકા નથી કે તેના સાથી ખેલાડીઓ નવી સિઝનની શરૂઆત કરતી વખતે આમાંથી ખૂબ પ્રેરણા લેશે. કેપ્ટન ઋષભ અને ટીમને અમારી શુભેચ્છાઓ. દિલ્હી કેપિટલ્સ 23 માર્ચે ચંદીગઢમાં IPL 2024ની તેમની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે.