Site icon Revoi.in

ડિનર નહીં આરોગવાથી સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો શું કહે છે એક્સપર્ટ

Social Share

વજન ઓછુ કરવાના ચક્કરમાં ઘણા લોકો એવા છે જે રાતના ભોજનમાં જમવાનું ઓછુ કરી દે છે અથવા ગણા લોકો ડિનર સ્કિપ કરી દે છે. આજકાલ લોકો વજન ઓછુ કરવા માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સહારો લે છે. આ દિવસોમાં ફિટ અને હેલ્દી રાખવા માટે લોકો રાતનું જમવાનું સ્કિપ કરી દે છે.

આજ કાલ લોકો વજનને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયટ ફોલો કરે છે. સાથે સ્ટ્રિક્ટ ડાઈટનું ફોલો કરે છે તે તેમનું ભોજન પણ સ્કિપ કરી દે છે. રાતે ભારે ખોરાક નહિ તો હલ્કો ખોરાક જરૂર ખાવો જોઈએ. તમારે અંદરથી સ્વસ્થ રહેવું હોય તો રાત્રનું ભોજન બિલકુલ ના છોડો. આમ કરવાથી હેલ્થ પર ખરાબ અસર પડતી નથી. જેના લીધે કબજિયાત, એસિડિટી અને બ્લૂટિંગની સમસ્યા થાય છે.

• રાતનું ભોજન સ્કિપ કરવાથી થઈ શકે છે મુશ્કેલી
જો તમે વજન ઘટાડવા માટે રાત્રનું ભોજન ના કરો તો ઇન્સ્યુલિનનું સ્તર બગડી શકે છે. તમારું ઇન્સ્યુલિન સ્તર સરખુ રહે તે માટે, તમારે ડિનર કરવું જરૂરી છે. વજન વધવાથી બચવા માટે લાઈટ વેટ ખોરાક જરૂર લેવો જોઈએ.

રાતમાં ના ખાવાથી ગેસ કે બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. તમારું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ક્યારેય છોડશો નહીં. રાત્રે હળવું ખાઓ. તમે વધારે ખાઓ છો, તો તમને ખાટા ઓડકાર થઈ શકે છે. તેનાથી જલન પણ થઈ શકે છે.